શિવપુરાણ મુજબ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાથી બધા પાપનો અંત થઈ જાય છે પણ, ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની ઉપર ચઢાવેલ પ્રસાદ ગ્રહણ નહી કરવું જોઈએ, આવુ કરવાથી પાપ લાગે છે અને માણસ ગરીબ થઈ જાય છે આવો જાણીએ આ માન્યતા પાછળ કયા કારણો રહેલા છે…?
સનાતન ધર્મમાં પ્રસાદને પૂજામાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન અને દેવોને ચઢાવેલ પ્રસાદ શુદ્ધ, પવિત્ર, રોગનાશક અને ભાગ્યવર્ધક ગણાયું છે. પ્રસાદ એ આરાધ્યનો આશીર્વાદ ગણાય છે પણ શિવજી પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવાની મનાહી છે.
માન્યતા છે કે ભૂત-પ્રેતના પ્રધાન ગણાતા ચંડેશ્વર ભગવાન શિવના મોઢાથી પ્રકટ થયા હતા તેથી શિવજીને જે પ્રસાદ ચઢાવીએ છે તે તેના ભાગમાં આવે છે. તેથી જે પણ તે પ્રસાદ ખાય છે તે ભૂત પ્રેતના અંશ ગ્રહણ કરે છે. તે કારણે શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાની ના પાડી છે.
શિવપુરાણના 22મા અધ્યાયમાં જાણકારી છે કે ચંડાધિકારો યત્રાસ્તિ તદ્રોત્વયંઅ ન માનવૈ. ચંડાધિકારો નો યત્ર ભોક્તવ્યં ભક્તિત: એટલે કે જ્યાં ચંડનો અધિકાર છે, તે પ્રસાદ માણસ માટે નથી પણ જ્યાં ચંડનો અધિકાર નથી તે પ્રસાદ ગ્રહણ કરી શકાય છે.
માન્યતાઓ મુજબ, શિવલિંગનો પ્રસાદ ગ્રહણ કરવો કે નહિ તે આ વાત પર નિર્ભર કરે છે કે શિવલિંગ કઈ ધાતુનું બન્યું છે, જેના પર ચંડેશ્વરનો અધિકાર નહી હોય. જણાવ્યું છે કે સાધારણ માટી, પત્થર અને ચીનાઈ માટેથી બનેલા શિવલિંગ પર ચઢેલ પ્રસાદને ગ્રહણ નહી કરવું જોઈએ. આ શિવલિંગ પર ચઢેલ પ્રસાદને જળમાં પ્રવાહિત કરી નાખવું જોઈએ.
બાણલિંગના અને પારસ શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય હોય છે. આ શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ પર ચંડેશ્વરનો ભાગ નહી હોય છે. તેને ગ્રહણ કરવાથી માણસ ન માત્ર દોષમુક્ત રહે છે પણ તેના જીવનની મુશ્કેલીઓ પણ નષ્ટ હોય છે.
માન્યતા છે કે શિવલિંગની સાથે શાલિગ્રામની પૂજા કરવાથી પણ શિવલિંગનો પ્રસાદ ખાઈ શકાય છે. સાથે જ શિવલિંગની નીચે ચઢાવેલ પ્રસાદ પણ ખાઈ શકીએ છે. આ રીતે પ્રસાદ ખાવાથી કોઈ નુકશાન નહી થાય અને ગરીબી નહી આવે અને શિવજીની કૃપા પણ મળે છે.