મુંબઇ
કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ અનાઉંસમેંટથી જ ચર્ચામાં છવાયેલી છે. આ ફિલ્મ અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી, હવે ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તાજેતરના અહેવાલો અનુસાર, ફિલ્મના દિગ્દર્શક પ્રદીપ સરકારને ડેન્ગ્યુ થાય પછી તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા આવ્યા હતા.પ્રદીપ સરકારની માંદગી બાદ ફિલ્મની રીલીઝ તારીખ લંબાવવામાં આવી છે.
પ્રદીપ સરકાર માંદા પડતાં જ સેટ્સ પર પ્રોડ્યુસર અજય દેવગણએ એક એમ્બુલન્સને મુકવી હતી. સેટ કાજોલે પણ સતત હાજરી આપીને તેમનું ધ્યાન રાખ્યું હતું. ફિલ્મનું શુટિંગ પૂર્ણ થયું તરત જ પ્રદીપ હોસ્પિટલમાં એડમીટ થાય ગયા હતા. 24 ઓગસ્ટે પ્રદીપ સરકાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રદીપ સરકારને આરામ કરવાનું ફરમાન હોવાને કારણે ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગણ પણ પોસ્ટ પ્રોડક્ષનનું કામ થોડા સમય પછી શરૂ કરવા માંગે છે.આ જ કારણોસર ફિલ્મની રીલીઝ તારીખો પાછી ખેંચાઇ છે.