મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા નું નામ આપ્યું છે. તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એમઆઈએ ગઈકાલે શુક્રવારે આની જાહેરાત કરી હતી. લોકોની નજરમાં આ નિર્ણય ભલે એક જ દિવસમાં લેવાયો હોય એવું લાગે પણ અંદરનું સત્ય કંઈક બીજું જ છે. ખરેખર, હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવાની યોજના પહેલાથી જ હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનશિપની શરતે જ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પરત ફરતા પહેલા હાર્દિક ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ આ મુજબ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીને લઈને શરત મૂકી હતી કે જ્યારે તેને ટીમની કમાન મળશે ત્યારે જ તે MIમાં પાછો ફરશે. એમઆઈએ ત્યારે જ તેમની શરત સ્વીકારી હતી. પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો હતો અને પછી ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) તેને સત્તાવાર રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તે ચાહકોને એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે તે નિર્ણય હમણાં જ લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને ચાહકો પહેલાથી જ અનુમાન લગાવી રહ્યા હતા કે જો હાર્દિક MIમાં પાછો ફરે છે તો તેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને હવે બિલકુલ એવું જ થયું છે.
હાર્દિકે મુંબઈથી શરૂઆત કરી, બે વર્ષ સુધી ગુજરાતનો કેપ્ટન રહ્યો
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે મોટી રકમમાં ખરીદ્યો અને ટીમમાં સામેલ કરીને તેને કેપ્ટન બનાવ્યો. હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી.
આ પણ વાંચો:M S Dhoni contempt of court case/મહેન્દ્ર સિંહ ધોનીની અરજી પર IPS અધિકારીને જેલમાં મોકલવામાં આવ્યા, મદ્રાસ હાઈકોર્ટે આપી આ સજા… જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:Virat Kohli/ટીમ ઈન્ડિયાને ટેસ્ટ જીતાડવા નીકળી પડ્યો વિરાટ કોહલી, એરપોર્ટ પર આ અંદાજમાં દેખાયો
આ પણ વાંચો:Cricket/ધોનીનો જર્સી નંબર રિટાયર્ડ, BCCIએ કેમ લેવો પડ્યો આ નિર્ણય?