કોરોના વાયરસના કહેરમાં રાજ્યમાં આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, આ ઘટનામાં આજે વધુ એક આપઘાતના બનાવ ઉમેરાયો છે.
ધાનેરાના વીડ ગામે પોતાના જ ઘરમાંજ એક કિશોરીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે અવી છે. જો કે આ આપઘાતનું કારણ હજી સામે આવ્યું નથી. ત્યારબાદ મૃતક કિશોરીની લાશને પી.એમ અર્થે ધાનેરા રેફરલ લાવવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા.