આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણી માટે પ્રચારનાં શ્રીગણેશ કર્યા. આજે અબડાસાનાં ઉમેદવાર માટે તેઓએ જાહેર સભા કરી હતી. તેઓએ કચ્છના નલિયામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.
અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનું ધ્યાનમાં રાખીને જાહેર સભા યોજી હતી. જેમાં બેસવા મટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી.
મુખ્યમંત્રી એ આજે અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા. અબડાસામાં પેટાચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યાં છે.
સીએમ રૂપાણીએ નલિયામાં ચૂંટણી સભા ગજવી ભાજપના ઉમેદવારના સભાને સંબોધન કરી પ્રદ્યુમનસિંહ જાડેજાને અબડાસા બેઠક પર ભારે બહુમત સાથે વિજય બનાવવા લોકોને અપીલ કરવાની સાથે સાથે વિવિધ વર્ગના સમાજ શ્રેષ્ઠીઓ સાથે પણ બેઠક પણ કરી હતી.
જુઓ શું કહ્યું CMએ પોતાનાં સંબોધનમાં આ વીડિયો અહેવાલમાં Click કરો 👇 👇👇….