દિલ્લીમાં ક્રાઈમની કોઈ કમી નથી. હાલમાં જ લગ્ન સમયે અજાણ્યા શખ્શ દ્વારા ગોળી મારીને ભાગી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સોમવારે રાત્રે જયારે લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે બે બાઈક સવાર વરને ગોળી મારીને ભાગી ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે ૪૦૦ મીટર દૂરથી ગોળી મારવામાં આવી હતી.
રાત્રે ૧૦ વાગ્યે વરઘોડા પર ચઢીને લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો. લોકો લગ્નમાં ડાન્સ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક એક મોટર સાઇકલ પર બે લોકો આવ્યા અને દુલ્હાને ગોળી મારીને ભાગી ગયા.
પીડિત દુલ્હાને ખભા પર ગોળી વાગવાને લીધે તે ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં અલી જવામાં આવ્યો હતો. આશરે ૩ કલાક સુધી તેની સારવાર ચાલી હતી.
જોવાની વાત એ છે, કે સારવાર લીધા પછી વર લગ્ન કરવા માટે પહોચી ગયો હતો અને રીતરિવાજથી લગ્ન કર્યા હતા.
દક્ષીણ દિલ્લીના ડીસીપી વિજય કુમારે કહ્યું હતું કે, અચાનક થયેલી ફાયરીંગના લીધે વરને ખબર નહી રહી કે શું થઇ રહ્યું છે. તેના ખભા પરથી લોહી વહેવા લાગ્યું ત્યારે તેણે પરિવારને જાણ કરી હતી.
જો કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તેની ખબર નથી થઇ. જે મોટર સાઇકલથી હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના સ્થળથી થોડે દૂરથી મળી આવી હતી.