IPL 2024માં પ્રથમ તબક્કાની અડધાથી વધુ મેચો રમાઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા ખેલાડીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી BCCI પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. IPL પછી ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 રમવાનું છે, જે આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.
બીજી તરફ BCCI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ખૂબ જ જલ્દી કરી શકે છે. આઈપીએલમાં એક એવો ખેલાડી છે જે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી શકે છે. આ ખેલાડી દરેક મેચમાં પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી રહ્યો છે.
That’s was Destruction Batting From Dinesh Karthik ….
If u want to see him in T20 world cup 2024 then Hit the
LIKE button ……#dineshkartik #DineshKarthik #RCBvsSRH #ViratKohli #ViratKohli #rcb #IPL #IPL2024 #T20WorldCup2024 #RCBvsSRH #RCB #SRHvsRCB pic.twitter.com/yUvlEoR5gj— ▄︻┻═┳一•••••• 乂❤‿❤乂 (@HIGH_____FEVER) April 16, 2024
આ ખેલાડી વિકેટકીપર અને ફિનિશર છે
RCBનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2024માં ખૂબ જ ખતરનાક બેટિંગ કરી રહ્યો છે. કાર્તિક દરેક મેચમાં RCB માટે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યો છે. RCB સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ હારી ગયું હોવા છતાં દિનેશ કાર્તિકે પોતાની વિસ્ફોટક બેટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા.
આ મેચમાં કાર્તિકે માત્ર 35 બોલમાં 83 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન દિનેશે 5 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી. આમાંથી એક સિક્સ કાર્તિકે મારી હતી જે 108 મીટર લાંબી હતી, જે આ IPL સિઝનમાં અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે.
This shot Will be remembered for ages Dinesh Karthik the greatest Indian finisher ever to play IPL.pic.twitter.com/9ALlj8N6Pd
— Kevin (@imkevin149) April 16, 2024
પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર વિચાર કરી શકે છે
IPL 2024માં જે રીતે દિનેશ કાર્તિક શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેને લઈને T20 વર્લ્ડ કપ 2024 માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ પણ ઉઠવા લાગી છે. ઘણા ચાહકોનું માનવું છે કે દિનેશ કાર્તિકને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ.
તે 39 વર્ષનો હોવા છતાં તેની પાસે ઘણો અનુભવ છે, જે IPL 2024માં દરેકને દેખાય છે. વિકેટકીપિંગ હોય કે બેટિંગ, કાર્તિક બંનેમાં પરફેક્ટ છે. જે બાદ હવે BCCI પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર પણ વિચાર કરી શકે છે.
આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ
આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની