Not Set/ મુંબઈ: IT ઓફિસની પાસેના સિંધિયા હાઉસ બિલ્ડીંગમાં લાગી આગ

મુંબઈ: મુંબઈમાં આવકવેરા (IT) ઓફિસની નજીકમાં આવેલા સિંધિયા હાઉસની બિલ્ડીંગમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ આગ ત્રીજા માળ પરથી ફેલાઈને ચોથા આને પાંચમાં માળ સુધી પહોંચી ગઈ છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની ૨૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આશરે 20થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ […]

Top Stories India Trending
mumbai: Fire broke out in scindia House Building near IT office

મુંબઈ: મુંબઈમાં આવકવેરા (IT) ઓફિસની નજીકમાં આવેલા સિંધિયા હાઉસની બિલ્ડીંગમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ આગ ત્રીજા માળ પરથી ફેલાઈને ચોથા આને પાંચમાં માળ સુધી પહોંચી ગઈ છે.

આ આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની ૨૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આશરે 20થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Mumbai Aag મુંબઈ: IT ઓફિસની પાસેના સિંધિયા હાઉસ બિલ્ડીંગમાં લાગી આગ

આ બિલ્ડીંગની છત પર પણ કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા છે, જો કે હજુ સુધી એ બાબતની જાણ નથી થઈ શકી કે આ આગ કેવી રીતે લાગી છે.

આ બિલ્ડીંગમાં આવકવેરા વિભાગની ઓફિસ પણ છે. જયારે ટીવી અહેવાલોને માનીએ તો પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની સાથે સંલગ્ન તમામ આ ઓફિસમાં રાખવામાં આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલા એક પબમાં આગ લાગવાથી 14 વ્યક્તિના મોત નીપજ્યા હતા.