પ્રદુષણ/ નદીમાં કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિકોએ માછલીઓ પકડવા મૂકી દોટ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલીઓના મોત થયા હતા.

Gujarat Trending
solar 7 નદીમાં કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિકોએ માછલીઓ પકડવા મૂકી દોટ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલીઓના મોત થયા હતા. જેને લઇ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. જયારે સ્થાનિક લોકો માછલાં પકડવા માટે એકત્રિત થઈ ગયા હતા. બે દિવસથી બારડોલીના નીણત થી અમાલસાડી ને જોડતી મિઢોળા નદીમાંથી મૃત માછલાંઓ મળી રહ્યા છે.

Labour Codes / કર્મચારીઓના હાથમાં આવતા પગાર ઘટશે, પીએફ વધશે, જાણો કેમ ?

દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપરવાસમાં આવેલ કોઈ ફકેટરીમાંથી વારંવાર કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ મોતને ભેટે છે. કેમિકલ વાળા ઝેરીલા પાણીને કારણે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. બે દિવસ થી બારડોલીના નિણત ગામે થી પસાર થતી  મિઢોળા નદીમાં મૃત માછલાં મળી આવતા નદીના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા. નીણત ગામે નદીમાંથી મળી આવેલ  મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા લોકોના  આરોગ્યને પણ નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.

તાંઝાનિયા / જાઓ પહેલા વ્યવસ્થિત કપડાં પહેરો અને પછી સંસદમાં આવો, ‘ટાઇટ પેન્ટ’ પહેરવું મહિલા સાંસદને પડ્યું ભારે

મોટા ભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓ લઇ ગયા હતા. મહત્વની વાત તો એ હતી કે સવારથી નદીમાંથી મૃત માછલાં મળી રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર અજાણ બન્યું હતું. સ્થાનિકો દ્વારા બારડોલી વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક જી.પી.સી.બીને પણ જાણ કરવામાં આવી હતી.

OMG! / લેન્ડમાઇન્સ શોધીને હજારો લોકોનો જીવ બચાવનાર અને બ્રિટેનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત આ ઉંદર હવે થયો સેવા-નિવૃત્ત

6 મહિના અગાઉ પણ આજ પ્રકારની ઘટના બની હતી. છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા નદીમાં સતત દૂષિત અને કેમિકલ વાળુ પાણી આવી રહ્યું છે. ત્યારે ફરી વાર દૂષિત પાણી આવતા માછલાંઓ મરી જતા તંત્ર કેટલી નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.