Porbandar News: પોરબંદરમાં અંગ્રેજી શાળા એમ.કે. ગાંધીમાં 25 જેટલાં શિક્ષકોને (Teachers) છૂટા કરાયા છે. તેની સામે ગુજરાતી માધ્યમના (Gujarati Medium) શિક્ષકો મૂકી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. એ.બી.વી.પી. (A.B.V.P.) દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જવાબ ન મળતાં શાળાને તાળાબંધી કરાઈ છે.
પોરબંદરમાં એકમાત્ર અંગ્રેજી શાળા એમ.કે. ગાંધીમાંથી 25 જેટલા શિક્ષકોને છૂટા કરાતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલીઓ નડી રહી છે. વિરોધ કરતા એ.બી.વી.પી. દ્વારા શાળાઓની તાળાબંધી કરાઈ હતી. પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા 1100 બાળકોનું ભાવિ જોખમમાં છે. તાળાબંધી કરનાર એબીવીપીના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
હાલ પોરબંદર ખાતે આ મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. એ.બી.વી.પી. દ્વારા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પણ જવાબ ન મળતાં શાળાને તાળાબંધી કરાઈ છે. પોરબંદર પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે.
આ પણ વાંચો:સુરતમાં 15 વર્ષના કિશોરે સગીરાને હવસનો શિકાર બનાવી
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું