ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે જેણે હંગામો મચાવી દીધો છે. હકીકતમાં, ચંદીગઢ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમ પાસેથી દારૂની 27 બોટલ અને બિયરની બે પેટી મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના 5 ક્રિકેટરોની કીટમાંથી મળી આવ્યું હતું. જે ક્રિકેટરો પાસેથી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા તે સીકે નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની અંડર-23 ટીમનો ભાગ છે.
શું છે સમગ્ર મામલો
25 જાન્યુઆરીના રોજ સીકે નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને ચંદીગઢ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રે યજમાન ચંડીગઢને હરાવ્યું હતું. આ પછી, સૌરાષ્ટ્રના ખેલાડીઓ જ્યારે રાજકોટ પાછા જતા હતા, ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં રાખતા પહેલા તેમની કીટની તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો સાથે દારૂની 27 બોટલ અને બિયરની 2 પેટી મળી આવી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ ઘટનાએ ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે.
#WATCH | Rajkot, Gujarat: On liquor bottles allegedly recovered from Saurashtra cricketers at Chandigarh Airport, Secretary of Saurashtra Cricket Association Himanshu Shah says, “…This alleged incident is unfortunate and intolerable. Ethics and disciplinary committee and the… pic.twitter.com/WxyePGWvOF
— ANI (@ANI) January 29, 2024
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને શું કહ્યું?
આ મામલા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદીગઢમાં એક કથિત ઘટના બની છે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ધ્યાન પર લાવવામાં આવી છે. કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એથિક્સ/ડિસિપ્લિનરી કમિટી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે