ચેન્નઈ,
છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુના તૂતીકોરીન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટને લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં 13 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે હવે સરકાર દ્વારા લોકોની માંગને સ્વીકારતા આ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
તમિલનાડુ સરકારના પપોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોપર પ્લાન્ટને બંધ કરવા હુકમ કર્યો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમે આ આદેશ અંગે જણાવતા કહ્યું, “આજે લોકોની સૌથી મોટી માંગ છે કે પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે”.
વધુમાં તેઓએ જણાવ્યું, “હું આ આદેશ અંગે સ્પષ્ટપણે કહેવા માંગું છે કે, વેદાંતા પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવામાં આવી ચુક્યો છે”.
આ પહેલા ઉપ-મુખ્યમંત્રી પનીરસેલ્વમ તૂતીકોરીન પહોચ્યા હતાં અને તેઓએ કહ્યું, “હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલ પ્રદર્શનકારિયોની જે પણ માંગો છે તેના પર વિચાર કરવામાં આવશે. આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ પ્રસ્તાવ લાવવામાં આવશે”.
ઉપ-મુખ્યમંત્રીએ લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું, “તેઓ પ્લાન્ટ બંધ કરવા માટે જરૂરી તમામ કાયદાકીય પગલા ઉઠાવશે. તેઓ આ વિસ્તારમાં શાંતિનો માહોલ લાવવાની પણ કોશિશ કરશે એમ પ તેઓએ ઉમેર્યું હતું.
મહત્વનું છે કે, ગત 22 મેના રોજથી તૂતીકોરીન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટના વિરોધમાં લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોને પથથરમારો અને આગચંપીનો સહારો લીધા બાદ પોલીસ દ્વારા ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 13 લોકોના મોત થયા હતાં.