Not Set/ “પદ”નું મદ બતાવે ચરિત્રનું કદ !

ઉનાળાની બળબળતી બપોરે એક ભીખારી જેવો માણસ બજારમાં આમતેમ આંટા મારી રહ્યો હતો જેને ખુબ જ તરસ લાગી હતી અને એ પાણી શોધી રહ્યો હતો.

Trending
નિલેશ

સંવાદ સર્જાય કે નહીં એ અગત્યનું નથી; એકમેકને જોઈને આંખો ચમકી ઉઠે એ જ જરૂરી છે. માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ ભગવાનની મૂર્તિમાં છુપાયેલી પોતાની મોટાઈ તથા મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

આ પણ વાંચો :વડોદરામાં ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાને બદલે છપાયું એવું કે, તમે પણ નહીં કરી શકો વિશ્વાસ

ઉનાળાની બળબળતી બપોરે એક ભીખારી જેવો માણસ બજારમાં આમતેમ આંટા મારી રહ્યો હતો જેને ખુબ જ તરસ લાગી હતી અને એ પાણી શોધી રહ્યો હતો.

વૈશાખી તાપ એટલો બધો હતો કે બધા જ દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યા હતા.

તરસથી વ્યાકુળ થયેલા પેલા મજબૂર માણસની નજર છેવાડાની એક દુકાન પર ગઈ. જે દુકાન ખુલ્લી હતી ત્યાં પેલો માણસ ઝડપથી એ દુકાન સુધી પહોંચ્યો ત્યાં જઈને જોયું તો દુકાનમાં બીજુ કોઈ તો નહોતું પરંતુ શેઠ થડા પર બેઠા-બેઠા હિસાબ કરતા હતા.

ભિખારી જેવા આ માણસે પેલા શેઠને કહ્યુ, “શેઠ, બહુ તરસ લાગી છે તો થોડું પાણી પાશો ?”

શેઠે કહ્યુ , “માણસ બહાર ગયો છે – થોડી વાર ઉભો રહે.” પેલો ભીખારી ત્યાં જ ઉભો રહ્યો ૧૦ મિનિટ જેવો સમય થયો એટલે ભીખારીએ ફરીથી કહ્યુ કે, “શેઠ, થોડું પાણી આપોને ગળું સુકાય છે.” પેલા શેઠે કહ્યુ કે, હજુ માણસ નથી આવ્યો આવે એટલે તને પાણી આપે.

વળી થોડો સમય પસાર થયો એટલે ફરી પેલા ભીખારીએ કહ્યુ, “શેઠ, એક જ પ્યાલો પાણી આપોને…. જીવ જાય છે હવે તો, આ તરસને કારણે.”

શેઠે ખીજાઈને કહ્યુ ,”એલા તને કેટલી વાર કહેવું કે માણસ નથી એ આવે એટલે તને પાણી પાશે.” ભિખારીએ શેઠની સામે જોઈને એટલું જ કહ્યુ : “શેઠ, બસ થોડીવાર માટે તમે જ માણસ બની જાવ ને…”

સાલુ આપણું પણ આ શેઠ જેવું જ છે, નહીં ?!? આપણે સૌ અલગ-અલગ કામસર ડોકટર, વકીલ, એંજીનિયર, અધિકારી, કર્મચારી, વેપારી, ખેડુત, નોકરીયાત કે ઉધોગપતિ તો રોજ હોઈએ છીએ ત્યારે, ખરે ટાણે ક્યારેક માણસ પણ બની જોઈએ તો…!?

દરેક વ્યક્તિનું ચોક્કસ “બ્લડગૃપ” હોય છે. ઈચ્છા પ્રમાણે કદાચ રક્તદાન ન પણ કરી શકાય પણ આંસુનું કોઈ ગૃપ નથી હોતું તેથી આંસુ તો કોઈના પણ લુછી શકાય છે – એ માટે ખુલ્લા દિલ, મગજ અને સાફ નજરની આવશ્યક્તાની કૃપા હોવી જોઈએ.

સર્જનહારે સૌને હીરા જેવા જ ઘડ્યા છે. માત્ર એક શરત મૂકી છે, કે જે ઘસાશે એ જ ચમકશે.

આ પણ વાંચો :ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…

આ પણ વાંચો :ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા