હાલ ક્રિકેટ રસીકો IPL 2024ની રોંમાચક મેચોની મજા માણી રહ્યા છે ત્યારે T20 વલ્ડ કપ 2024 ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.T20 વલ્ડ કપ ટૂર્નામેંટ માટે ટુંક સમયમાં ભારતીય ટીમનું એલાન થવાનુ છે. જેમાં સ્ટાર વિકેટકીપર ,બેટ્સમેન ઋષભ પંતને પણ ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.
30 ડિસેમ્બર 2022ની રાત્રે ઋષભ પંતની કારને અક્સમાત થયો હતો, અને ગંભીર ઇજા થવાથી ઋષભ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દુર હતો. પરંતુ ઋષભે IPL 2024 માં પાછા ફરી શાનદાર અંદાજમાં રન બનાવ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે T20 વલ્ડ કપ 2024 માં ઋષભ પંતને સીલેક્ટ કરવામાં આવશે, પંત સીવાય પણ બીજા ધણા ખેલાડીઓ પર બીસીસીઆઇ સીલેક્ટરની નજર છે.
પંત IPL માં પણ વિકેટકીપિંગમાં પણ કમાલ કરી રહ્યા છે. જ્યારે તેમની બેટીંગની વાત કરવામાં આવે તો તે ફરીથી બેટિંગમાં સારૂ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. દિલ્હી કેપીટલ્સના કેપ્ટન તરીકે પંતે લગાતાર બે અર્ધસતર્ક ફટકારી છે.
તમને જણાવી દઇએ કે આ વર્ષે T20 વલ્ડ કપ જૂન મહિનામાં રમાશે અને આ વર્ષે પણ ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્મા જ રહેશે, ત્યારે ટૂર્નામેંટ માટે આ મહીનાની છેલ્લી તારીખમાં ભારતીય ટીમનું એલાન કરવામાં આવશે.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ