આ દિવસોમાં લોકોને ખાંસી અને તાવ થતો હોય છે. ઘણા લોકો એવા પણ છે જેની ખાસી લાંબા સમય સુધી રહે છે. એક વાર ખાસીની સીરપ પણ પુરી થઇ જાય પણ ખાસી જતી નથી અને ખાસીના કારણે તમને રાત્રે ઉંધ પણ નઇ આવતી હોય. લાંબા સમય સુઘી ખાંસી રેવાનુ કારણ શ્વાસનળીમાં અને ફેફસામાં લાંબા સમય સુધી સોજો રહેવો.
ખાંસીના બે પ્રકાર છે
ખાંસી બે પ્રકારની હોય છે. સુખી ખાસી અને ભીની ખાંસી. આપણું શરીર વાઇરલ ઇન્ફેક્શન પર બે રીતે રિએક્ટ કરે છે. શરીરમાં રહેલી એંટિબોડીજ સીધા વાયરસ સામે લડે છે. જેમાં કોઇ પણ પ્રકારનો સ્ત્રાવ ના હોય તેને સુખી ખાંસી કહેવાય છે. જ્યારે શરીર શ્વાસનળી કે ફેફસા પર ચોટેંલા વાઇરસને હટાવવા માટે સ્ત્રાવ નીકાળે છે તેને ભીની ખાંસી કહેવામાં આવે છે. જો વાઇરસ વઘારે હોય કે સોજો વધારે હોય ત્યારે લાળ વધારે પડે છે.
કઇ સીરપ યોગ્ય છે
કપ સિરપ ખરીદવા માટે આપણે ધણી ભુલો કરતા હોય છે. ડૉક્ટર એવી સિરપ બતાવવતા હોય છે જે કપ નીકાળે છે. જેને એક્સપેક્ટરેંટ સિરપ કહેવામાં આવે છે. જો ખાંસી સુખી હોય તો ડૉક્ટર એવી સિરપ આપે છે કે જે ખાંસીની ઉત્તેજનાને ઓછી કરે છે. જને સપ્રેસેંટ સિરપ કહેવામાં આવે છે. એટલા માટે જો કોઇને સુખી ખાંસી થઇ હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે સપ્રેસેંટ સિરપનો ઉપયોગ કરો. અને જો ભીની ખાંસી હોય તો એક્સપેક્ટરેંટ સિરપનો ઉપયોગ કરો.
ખાંસીમાં આ ઉપયોગ પણ કામ આવશે.
ખાંસી થાય તો ગરમ પાણી પીવાથી ખાંસીથી રાહક મેળવી શકાય છે.
તળેવી વસ્તુ ખાવાનુ ટાળો. તળેલી વસ્તુ ખાશો તો ખાંસી વઘશે.
દિવસમાં બે થી ત્રણ વાર એક ગ્લાસમાં ગરમ પાણી લઇને તેમાં અડધી ચમચી મીઠુ નાખીને કોગળા કરવાથી ખાંસી મટી શકે છે.
ખાંસી થઇ હોય તો ઠંડી વસ્તુ ખાવાનું ટાળો અને એસીમાં સુવાનું પણ ટાળો
આ પણ વાંચો:આ ટોપ 10 ફોબિયા, જેનો સામનો કરવો દરેક માટે સરળ નથી
આ પણ વાંચો:ઉનાળામાં આ ફળો ખાવાથી તમારા શરીર પર અસર જોવા મળશે
આ પણ વાંચો:ઓફિસમાં સતત બેસી રહેતા વધેલા વજનને ઘટાડવા ખાઓ તરબૂચ, જાણો તેના લાભ