New Delhi/ સગીરાના બે બોયફ્રેન્ડ, એક યુવકે બીજાની હત્યા કરી

ઈન્ડીયા ગેટ પાસે થયેલી હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Top Stories India
Beginners guide to 2024 04 26T164418.626 સગીરાના બે બોયફ્રેન્ડ, એક યુવકે બીજાની હત્યા કરી

New Delhi News : રાજધાની દિલ્હીના ઈન્ડિયા ગેટ પર થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રણય ત્રિકોણમાં બનેલા આ બનાવમાં મૃતકની પ્રેમિકાએ જ હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સગીરા અને આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઈન્ડીયા ગેટ પર આઈસક્રિમ વેચતા યુવક પ્રભાતની હત્યાનો કેસ ઉકેલી નાંખ્યો છે. જેમાં પોલીસે આરોપી અજય ઉર્ફે આકાશને નોઈડાથી ઝડપી લીધો હતો. આ હત્યાકેસમાં મૃતકની સગીર પ્રેમિકા પણ સામેલ હતી જેની પણ પોલીસે ધરપકડ કરી છે. સગીરા પર આરોપ છે કે તેણે પ્રભાતની હત્યા કરવા પ્રેમી અજય ઉર્ફે આકાશને ઉશ્કેર્યો હતો.

અજય ઉપર ખુદ પ્રભાત પર ચાકૂના ઘા મારીને હત્યા કરવાનો આરોપ પણ છે. સગીરાએ અજય સાથે મળીને પ્રભાતને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. આ કાવતરા મુજબ બુધવારે રાત્રે અજય ઈન્ડિયા ગેટ પાસે આવ્યો ત્યારે તે પ્રભાતની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ સગીરાની ભુમિકા અંગે તપાસ કરી રહી છે.

પુછપરછમાં જમાયું હતું કે આ સગીરા પ્રભાત સાથે ચાર વર્ષથી અને અજય સાથે બે વર્ષથી રિલેશનશીપમાં હતી. પ્રભાતને સગીરાનો બીજો પણ પ્રેમી હોવાની જાણ થતા તેણે સગીરા સાથે ઝઘડો કર્યો હતો. આથી ઉશ્કેરાયેલી સગીરાએ અજય સાથે મળીને પ્રભાતને રસ્તામાંથી દૂર કરાવનું કાવતરૂ ઘડ્યું હતું. અજયની આવક વધુ સારી હોવાથી તે અજય સાથે રહેવા માંગતી હતી. અજય નોઈડાના સેક્ટર 128 માં ટેન્ટ હાઉસમાં કામ કરતો હતો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકૂ અને લોહીના ડાઘવાળા કપડા કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.

આ હત્યામાં પ્રભાતના એક સગીર મિત્રની પણ પોલીસે હત્યાને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરી છે.પ્રભાતના પરિવારજનો એ વાતથી પરેશાન છે કે જે સગીરાને તે ઘરની વહુ બનાવવાનું સપનું જોતા હતા તે જ તેમના પુત્રની હત્યાનું કાવતરૂ ઘડશે.

પ્રભાતના પરિવારજનોએ પોલીસે કહ્યું હતું કે સગીરા સાથે તેમના પુત્રની ચાર વર્ષથી મિત્રતા હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા બન્ને સાથે રિલેશનશીપમાં હોવાનું બહાર આવ્યું છે. અંદાજે 15 દિવસ પહેલા પ્રભાત અને આરોપી અજયને ખબર પડી ગઈ હતી કે બન્ને એકસાથે સગીરાના મિત્ર હતા. જેને કારણે પ્રભાતે સગીરા સાથે ઝઘડો પણ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ અજયે પોલીસને કહ્યું હતું કે તે ચાકૂ લઈને રિક્ષામાં ઈન્ડિયા ગેટ પર આવ્યો હતો. તે અડધો કલાક  પ્રભાતના સ્ટ્રીટ વેન્ડરની નજીક ઉભો રહ્યો હતો. શેરીમાં ટોળુ હોવાથી તે રાહ જોઈ રહ્યો હતો. જેવો પ્રભાત શેરીમાં એકલો ઉભો હતો ત્યારે અંધારાનો લાભ લઈને પ્રભાતને ચાકૂના ત્રમ ઘા મારી દીધા હતા. બાદમાં તે ભાગી ગયો હતો. પોલીસ હવે રિક્ષા ડ્રાઈવરની શોધ કરી રહી છે જે અજયને રિક્ષામાં લાવ્યો હતો.

ડીસીપી દેવેશકુમાર મહાલાએ જણાવ્યું હતું કે પોલીસને ઈન્ડિયા ગેટ પર ઝઘડાની જાણ થતા પોલીસ ઘટનાસ્થલે પહોંચી હતી. તેમણે સંગમ વિહારના રહેવાસી પ્રભાતને હોસ્પિટલ પહોંચાડ્યો હતો જોકે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રભાત સી-હેક્સાગોન ઈન્ડિયા ગેટ પર આઈસક્રીમ વેચતો હતો. પ્રભાતનો મોબાઈલ પણ ગાયબ છે. પોલીસે સગીરા તથા અજયના મોબાઈલ ઉપકરાંત સીસીટીવીને ફૂટેજને આધારે તપાસ કરીને યુપીના ગોંડાના રહેવાસી અજયની નોઈડાથી ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત

આ પણ વાંચો:ચૂંટણી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાંથી મોટા સમાચાર, સોપોરમાં ફાયરિંગમાં સેનાના બે જવાન ઘાયલ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો EVM અને VVPAT પર મહત્વનો ચુકાદો, મતોની 100% ચકાસણીની વિનંતીને કોર્ટે ફગાવી

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી: 01 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?