લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાન વચ્ચે એક મોટું અપડેટ છે. જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. શુક્રવારે થયેલા ગોળીબારમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ સેના અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે નૌપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ટીમ સંદિગ્ધ સ્થળની નજીક પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. એવું માનવામાં આવે છે કે લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો કમાન્ડર તેના સહયોગી સાથે આ વિસ્તારમાં ફસાયેલો છે. પરિસ્થિતિનો તાગ મેળવવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો EVM અને VVPAT પર મહત્વનો ચુકાદો, મતોની 100% ચકાસણીની વિનંતીને કોર્ટે ફગાવી
આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં વાયનાડ અને મથુરા સહિતના આ બેઠકોના દિગ્ગજોનું ભાવિ દાવ પર
આ પણ વાંચો:ચૂંટણી પંચે પીએમ મોદીના નિવેદન પર શરુ કરી તપાસ, જાણો ક્યા નિવેદન અંગે કોંગ્રેસે કરી ફરિયાદ
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ કરતા કરતા ઢળી પડ્યા