Ayodhya News: ત્રણ દિવસ સુધી રામનવમી નિમિત્તે ચાલનારા મેળા માટે રામલલ્લાના 24 કલાક સુધી જગાડવા પર પ્રશ્નો અંગે સંતોએ સાફ કહ્યું છે કે, કોઈ પણ પૂજા પરંપરામાં સતત મંદિર ચાલુ રાખવાનો ઉલ્લેખ નથી. ત્યાં જ, રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે કે રામનવમીમાં ત્રણ દિવસ સુધી સતત 24 કલાક મંદિર ખુલ્લુ રાખવા સંતોની સલાહ લેવાઈ રહી છે.
રામનવમી મેળો 9 એપ્રિલથી શરૂ થશે. 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે. ભીડને જોતાં મંદિર 24 કલાક ચાલુ રાખવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. અત્યારે મંદિર 14 કલાક સુધી ખુલ્લું રહ્યું છે. રોજ દોઢ લાખથી વધુ ભક્તો રામના દર્શને આવે છે.
ત્યારે સંતોનું કહેવું છે કે રામલલ્લાને 24 કલાક જગાડવાએ શાસ્ત્ર મુજબ નથી. રામલલ્લા ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે પણ કહ્યું છે કે રામલલ્લા પાંચ વર્ષના બાળકના રૂપમાં વિરાજમાન છે. તેઓ 24 કલાક જાગી ન શકે. અંતિમ નિર્ણય વિચાર વિમર્શ પછી લેવાશે.
આ પણ વાંચો:વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે સુપ્રિમે U.P. સરકારને નોટિસ પાઠવી
આ પણ વાંચો:કેન્દ્રીય એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર વિરોધી ગુનાઓ પર ધ્યાન આપે: CJI
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બ