હિમાચલ પ્રદેશ તેની સુંદરતા માટે જાણીતું છે. તો અહીની પરંપરાઓ પણ એટલી જ અનોખી છે. આજે અમે જણાવી રહ્યા છીએ કુલ્લુના શાંઘુડ ગામના દેવતા શંગચુલ મહાદેવ વિશે જ્યાં ઘરેથી ભાગેલા પ્રેમી યુગલો આશરો લે છે.
શંગચુલ મહાદેવની સીમામાં કોઈ પણ જાતનું પ્રેમી યુગલ આવે છે અને મંદિરની સીમમાં હોય ત્યાં સુધી તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. એટલે સુધી કે પ્રેમી યુગલના પરિવારજનો પણ કંઇ કહી શકતા નથી. શંગચુલ મહાદેવ મંદિરનો વિસ્તાર વિસ્તાર 100 વીઘા જેટલો છે. આ સરહદમાં કોઈ પ્રેમી યુગલ આવી પહોચે તો તેને શંગચૂલ મહાદેવની શરણમાં આવેલા માનવામાં આવે છે.
પોતાની વિરાસતના નિયમોનું પાલન કરતા આ મંદિરના ગામમાં પોલીસના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે. તેની સાથે અહીં શારબ, સિગરેટ અને ચામડાનો સમાન પણ લાવવાની માની છે. કોઈ વ્યક્તિ હથિયાર સાથે પણ પ્રવેશ કરી શકતો નથી. કોઈ પણ પ્રકારનો લડાઈ કે ઝઘડો અને ઉંચી અવાજમાં વાતચીત નથી કરી શકતું. અહીં દેવતાનો નિર્ણય જ માન્ય હોય છે.
અહીં ભાગીને આવેલા પ્રેમી યુગલોનો મામલો થાળે નથી પડતો ત્યાં સુધી મંદિરના પંડિતો તેમની મેજબાની કરે છે.
ગામડામાં એવું કહેવામાં આવ્યું છે કે અજ્ઞાત વાસના સમયમાં પાંડવ અહીં કેટલાક સમય માટે રોકાયા હતા. કૌરવ તેમનો પીછો કરતા અહીં આવી પહોચ્યા હતા. તે પછી શિંગચૂલ મહાદેવે કૌરવ સેનાને રોકી હતી અને કહ્યું હતું કે, પાંડવ મારા ક્ષેત્રમાં છે અને તે પણ મારા શરણમાં પહોંચ્યો છે મારા શરણે આવેલાનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. મહાદેવના દરથી કૌરવો પાછા વળ્યા હતા.
ત્યારથી આજ સુધી કોઈ પણ સમાજ દ્વારા હાંકી કાઢવામાં આવેલ શખ્સ અથવા ભાગેલા પ્રેમી યુગલો શંગચૂલ મહાદેવના શરણે પહોચે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…