સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીને ભારત રત્ન પ્રદાન કરવા માટે ભારતની કેન્દ્ર સરકારને કોઈ પણ આદેશ અથવા નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે દ્વારા આ ઇનકાર મહાત્મા ગાંધીને ભારત રત્ન પ્રદાન કરવા માટે કરવામાં આવેલ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લીટિંગેશન (પીઆઈએલ) મામલે સુનવણી કરતા કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે દ્વારા સુનવણી દરમિયાન તે પણ જણાવવામાં આવ્યું છે કે, “મહાત્મા ગાંધી” ‘ભારત રત્ન’ કરતા ઘણા વધારે છે.
આપને જણાવી દઇએ કે, ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મ ગાંધીને ભારત રત્ન પ્રદાન કરવા કેન્દ્રને આદેશ આપવા માટે સુપ્રીમમાં એક PIL કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન સુપ્રીમ દ્વારા મહાત્માનું મહાત્મ સમજાવવામાં આવ્યું હોય તેવી રીતે આ કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.