જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આ આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ પણ…

Top Stories India
આતંકીને ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આ આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ પણ છૂપાયેલા હોવાની માહિતી મળી રહી છે. મોટી સંખ્યામાં સૈનિકોએ  વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓ વિસ્તારમાંથી ભાગી ન જાય તે માટે જવાનોએ તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. જવાનોનો પ્રયાસ છે કે બને તેટલી વહેલી તકે, મૃત કે જીવિત, છુપાયેલા આતંકવાદીઓને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવે.

આ પણ વાંચો :સિદ્ધુએ પાકિસ્તાનના PM ઈમરાન ખાનને કહ્યું ‘મોટા ભાઈ’, કરતારપુર પહોંચ્યા બાદ આપ્યું નિવેદન

સૈનિકોને આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળતા જ સુરક્ષાદળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારને કોર્ડન કરી લીધો. જ્યારે આતંકવાદીઓને શસ્ત્રો નીચે મૂકવા માટે કહેવામાં આવ્યું ત્યારે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્થળ પર હાજર સૈનિકોએ મોરચો સંભાળી લીધો અને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું.

બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હૈદરપોરામાં એન્કાઉન્ટરમાં નાગરિકોના મોતની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ તપાસ અધિકારી ખુર્શીદ અહેમદ શાહે કાર્યવાહી શરૂ કરી અને લોકો પાસેથી ઘટના અંગે માહિતી માંગી છે. શાહે જાહેર નોટિસ જારી કરી, જેઓ સોમવારના એન્કાઉન્ટર અંગે તેમના નિવેદનો રેકોર્ડ કરવા માંગતા હોય, તેમને 10 દિવસમાં તેમની ઓફિસનો સંપર્ક કરવા વિનંતી કરી. આ એન્કાઉન્ટરમાં ચાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

શ્રીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મોહમ્મદ એજાઝ અસદે શાહને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ખુરશીદ અહમદ શાહ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રીનગરને ઘટના અને મૃત્યુના કારણને લગતા તથ્યો અને સંજોગોને સુનિશ્ચિત કરવા મામલાની તપાસ કરવા માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

આપને જણાવી દઈએ કે આ પહેલા સૈનિકોએ બુધવારે મોટી સફળતા મેળવી હતી. જવાનોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. જણાવી દઈએ કે બુધવારે અસ્ફાક અહેમદને જવાનોએ માર્યો હતો. અસ્ફાક અહેમદ લશ્કરના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો કમાન્ડર હતો. બાકીના આતંકવાદીઓમાં બે ટીઆરએફ અને બે હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડરનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.

આ પણ વાંચો :મંગેતરને અશ્લીલ મેસેજ એ તેની નમ્રતાનું અપમાન નથી: કોર્ટ

આ પણ વાંચો :રાજકોટમાં અમરિશ ડેરને લઇ સી.આર.પાટીલે કર્યો પલટવાર, કહ્યું : મેં આમંત્રણ આપ્યું નથી

આ પણ વાંચો :કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ PM મોદી પાસે કરી આ માંગ