અમદાવાદ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લક્ષ્મીચંદ ઘાચીની ચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની જાણ થતા DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.
અમદાવાદના દરિયાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.