સુરત/ પ્રશાસક પ્રફુલ પટેલને તાત્કાલિક પદ પરથી દુર કરવા સ્વ.સાંસદ મોહન ડેલકરના પુત્રની રજૂઆત

પ્રસાશક પ્રફુલ પટેલને તાત્કાલિક પદ પરથી દુર કરવા સ્વ.સાંસદ મોહન ડેલકરના પુત્રની રજૂઆત

Top Stories Gujarat Surat Trending
womens day 14 પ્રશાસક પ્રફુલ પટેલને તાત્કાલિક પદ પરથી દુર કરવા સ્વ.સાંસદ મોહન ડેલકરના પુત્રની રજૂઆત

પ્રદેશ પ્રમુખને મળીને પ્રફુલ પટેલ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપ બાબતે ચર્ચા સાથે તટસ્થ તપાસ ની કરી માંગ

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતની તઠસ્થ તપાસ કરાવવા માટે પુત્ર અભિનવે સમર્થકો સાથે સુરત ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની આજ મુલાકત લીધી હતી. અને રજુઆત કરી હતી જો  પ્રફુલ પટેલ વિરુદ્ધ થયેલા આક્ષેપ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે. તો અંગે સીઆર પાટીલે પણ અભિનય ને તટસ્થ તપાસ માટે આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ત્યારબાદ 15 પાનામાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.. એ સુસાઇડ નોટમાં તેમણે મોત  માટે જવાબદાર લોકોના નામ પર લખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે . સ્વ.મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકારની સાથે સાથે મહારાષ્ટ્ર સરકારને પણ રજૂઆત કરી  હતી. મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની  તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત કેસનો મામલો દિનપ્રતિદિન પેચીદો બનતો જઇ રહ્યો છે.મુંબઈની હોટેલમાં મોહન ડેલકરે કરેલ આપઘાત કેસની ન્યાયિક તપાસની માંગ તેમના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી છે. જે મામલે આજ રોજ ડેલકરના પુત્ર અભિનવે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ની સુરતના અંબાનગર ખાતે આવેલ તેમના કાર્યાલય મુકામે મુલાકાત કરી હતી.અભિનવ ડેલકર તેના સમર્થકો સાથે આવ્યા હતા.

ભાજપ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. શાસક પક્ષ નેતા પ્રફુલ પટેલ પર આંગળી ચીંધી છે અને તેઓને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી છે.અભિનવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે પિતાએ આ મામલે ઘણી બધી વાતો તેના સમક્ષ કરી હતી.પરંતુ આ મામલો અહીં સુધી પોહચી જશે તેની કલ્પના નહોતી. આગામી દિવસોમાં આ મામલે નવા ખુલાસો કરીશું. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યાં નિષ્પક્ષ તપાસની આશા છે જોકે તેમની તમામ વાત સાંભળીને પ્રેદેશ પ્રમુખે  તેમને ન્યાય મળે તેવી બહી ધારી આપી હતી જોકે આગામી દિવસમાં આ સાંસદ આત્મહત્યા મામલો વધુ પેચીદો અને વધુ ઉગ્ર બને તેવા એધાણ પણ હાલમાં જણાઈ રહ્યા છે.

અત્યાર સુધી શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને  આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકર ના પરિવારની મુલાકાત લઇ આવ્યા છે. મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને તમામ સહયોગની ખાતરી આપી હતી. સાથે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોહન ડેલકરના મોત મામલે ઊંડાણપૂર્વક અને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

cinema halls / મલ્ટિપ્લેક્સ ફરી બેઠા થવાની તૈયારીમાં, માર્ચથી જ આવી રહી છે અસંખ્ય મૂવીઝ

Pride / ધતુરિયા જેવા નાનકડા ગામની અંજલિનો હૈદરાબાદમાં ડંકો, ડિઝાઇન કરેલા ડ્રેસિસે જમાવ્યું આકર્ષણ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ  વાઘેલાએ સ્વ.મોહન ડેલકરનાં પરિવારની  મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સ્વ. મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને રાજ્યના રાજકારણમાં મોટું માથું એવા શંકરસિંહ વાઘેલાએ પણ મોહન ડેલકરના મોત મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો સાથે  ઊંડાણપૂર્વક તપાસની માંગ  કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.