બિગ બોસથી ફેમસ થયેલી સની લિયોનીને આજે દરેક ઓળખે છે. તે પોતાની સુંદરતા અને આઈટમ સોન્ગમાં ડાન્સનાં કારણે ખૂબ ચર્ચામાં બની રહે છે. હવે એકવાર ફરી તે ચર્ચામાં આવી છે. જણાવી દઇએ કે, સની લિયોન હાલમાં શૂટિંગનાં કામથી કેરળમાં છે.
સની કેરળથી સતત તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે. તાજેતરમાં, સની લિયોને વીડિયો શેર કર્યો છે જેમા તે નદીની વચ્ચે એક નાવડી પર બેઠેલી જોવા મળી રહી છે. જ્યા તે ફોટો પડાવી રહી છે. સની લિયોન કેરળમાં સાઉથ ઈન્ડિયન અંદાજમાં જોવા મળી રહી છે અને તેણે તેના કપાળ પર એક ટીકો પણ લગાવ્યો છે. આ ફોટા તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
Bollywood / નિધિ અગ્રવાલને ચાહકોએ બનાવી ભગવાન, મંદિર બનાવી કરી પૂજા, એક્ટ્રેસે કહ્યું આવું…
સની લિયોને આ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘ગોડ્સ ઓન કન્ટ્રી કેરલથી મને પ્રેમ થઇ ગયો છે.’ આ રીતે, સની લિયોન કેરળનાં રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. તે કેરળનાં નજારાઓનો આનંદ લઇ રહી છે. જણાવી દઇએ કે, આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થવાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને હવે ઘણા બધા ચાહકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, સની લિયોન 2011 માં બિગ બોસ સિઝન 5 માં પ્રવેશ કરતી વખતે ચર્ચામાં આવી હતી. બિગ બોસનાં ઘરમાં તેમની એન્ટ્રીએ ભારે લોકપ્રિયતા મેળવી હતી.
Bollywood / હિના ખાનનો આ હોટ વીડિયો જોઇને થઇ જશો દીવાના, ડાન્સની સ્ટાઇલ સાથે બધું જ બદલાયેલું જોવા મળશે
તે શોમાંથી બહાર નીકળતાની સાથે જ તેને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 માં કામ મળી ગયું હતુ. ત્યારબાદ સની લિયોન બોલિવૂડમાં સતત સક્રિય છે. હવે તે દક્ષિણ તરફ વળી છે. એટલું જ નહીં, તે ટૂંક સમયમાં જ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘અનામિકા’માં પણ જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…