New Delhi News: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સૌરભ ભારદ્વાજ અને સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ એસ.બી.દીપકને ગેરકાયદે પેથોલોજી લેબ પર પ્રતિબંધ મૂકવા પર ફટકાર લગાવી છે. અદાલતે ચેતવણી આપતા કહ્યું કે જો ગેરકાયદે ચાલતી પેથોલોજી લેબ્સ પર પ્રતિબંધ નહીં લાદવામાં આવે તો જેલ મોકલવાનો વારો આવશે.
જસ્ટિસ મનમીત સિંહ અરોરા અને જસ્ટિસ મનમોહને સ્વાસ્થ્યમંત્રી સૌરભ ભારદ્વાજ અને સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ એસ.બી.દીપકને ચેતવણી આપતા કહ્યું કે આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના ઝગડામાં કોર્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી, અદાલતને પ્યાદુ ન બનાવવું જોઈએ. અદાલતે કહ્યું કે મંત્રી અને સચિવ એકાધિકાર સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો ઉલ્લંઘન કરવામાં આવશે તો સહન કરવામાં નહીં આવે.
જો સામન્ય નાગરિકને ફાયદો થશે તો તેમને જેલ મોકલવામાં સંકોચ નહીં થાય. અદાલતમાં સામાજીક કાર્યકરે પીઆઈએલ ફાઈલ કરતા કહ્યું કે રાજધાનીમાં અશિક્ષિત ટેક્નીશિયન દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર પેથોલોજીની લેબ્સ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.
આ પણ વાંચો:કેજરીવાલની રિમાન્ડ પરનો ચુકાદો રખાયો સુરક્ષિત
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ