Not Set/ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કેમ ઉજવવામાં આવે છે ?જાણો તેમના પાછળનું કારણ….

ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બર, 1991નાં વર્ષથી રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવમાં આવે છે

Trending
Untitled 31 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કેમ ઉજવવામાં આવે છે ?જાણો તેમના પાછળનું કારણ....

વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે.વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ પડે કે એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે આપણે વીજળીનો પ્રયોગ ન કરતા હોઈએ. સીધી કે આડકતરી રીતે લોકોને હવે સતત એના સંપર્કમાં રેહવું જ પડે છે.

ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. અશ્મિભૂત ઇંધ(ઘણા વર્ષોની જહેમત બાદ પ્રાપ્ત થતું ઇંધણ જેનો વપરાશ કર્યા બાદ તે ઝડપતી પ્રાપ્ત થઈ શકતું નથી., ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે

પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બર, 1991નાં વર્ષથી રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવમાં આવે છે. ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,સૂર્ય શક્તિ કિસાન યોજના, સૂર્ય કૂકર યોજના વગેરે. ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુન: અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને બચાવવાનો છે.

પ્રવૃતિનો ઉદ્દેશ્ય દેશના યુવા દિમાગમાં ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓ માટેની ચિત્ર સ્પર્ધા વિદ્યાર્થીઓને માત્ર ઉર્જા બચાવવાની જરૂરિયાત વિશે જાગૃત નહીં કરે પરંતુ સાથે સાથે ઉપરોક્ત કારણમાં તેમના વાલીઓને પણ સંવેદના અને સામેલ કરશે. આનાથી નાના બાળકોના મનમાં ઉર્જા સંરક્ષણની આદત પેદા થઈ શકે છે જે તેમનામાં વર્તનમાં પરિવર્તન લાવી શકે છે.