સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એર ઇન્ડિયાની એક ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ ગઈ હતી. આ ફ્લાઈટમાં ૧૭૯ મુસાફરો સવાર હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં હજુ સુધી કોઈ મુસાફરમાં ઘાયલ થયા કે કોઈ જાનહાનિ થયા હોવાના સમાચાર મળ્યા નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે દરેક યાત્રીઓને સુરક્ષિત બહાર નીકાળી દેવામાં આવ્યા છે.
આ ઘટના બુધવારે સાંજે ૫ વાગીને ૪૫ મિનિટે થઇ હતી. ફ્લાઈટનો એક ભાગ બિલ્ડીંગ સાથે અથડાઈ ગયો હતો.