@અમિત રૂપાપરા
સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે. યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ તેના મનપસંદ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ત્યારબાદ જ્યારે યુવકના પરિવારના સભ્યો દ્વારા વિધિવત રીતે ફરીથી પુત્રવધુ અને પુત્રના લગ્ન કરાવવામાં આવતા હતા. તે સમયે જ પિતરાઈ ભાઈ દ્વારા પીઠીની વિધિ સમયે બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં આરડી ફાટક પાસે રામેશ્વર સોસાયટી આવેલી છે. આ રામેશ્વર સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો. જે સમયે રામેશ્વર સોસાયટીમાં યુવક અને યુવતીની પીઠીની વિધિ ચાલી રહી હતી તે સમયે કલ્યાણીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ લગ્નમંડપમાં આવી પહોંચ્યો હતો અને પીઠીની વિધિ દરમિયાન જ પિતરાઈ બહેન પર પોતાની પાસે રહેલા ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં કલ્યાણીને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત થયું હતું.
મહત્વની વાત છે કે યુવક અને યુવતીનો પરિવાર સુરતના લિંબાયત વિસ્તારમાં જ રહેતો હતો. યુવતી કલ્યાણી અને યુવક જીતેન્દ્ર બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમમાં હતા અને પરિવારના સભ્યો બંનેના પ્રેમ લગ્ન માટે રાજી ન હતા. કારણકે યુવતી પાટીલ સમાજની હતી અને જીતેન્દ્ર મહાજન સમાજનો હતો. પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ યુવતી કલ્યાણીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને કોર્ટ મેરેજના એક મહિના બાદ બંને વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
યુવક જીતેન્દ્ર મહાજનના પરિવારના સભ્યો જ્યારે પુત્રવધુ અને પુત્રની વિધિવત રીતે લગ્ન વિધિ કરાવી રહ્યા હતા. તે સમયે મોનું પાટીલે પીઠીની વિધિ દરમિયાન બહેન કલ્યાણીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મોનુ પાટીલ પિતરાઈ બહેનની હત્યા કરી ઘટના સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતો હતો તે સમયે હાજર રહેલા લોકોએ મોનુને પકડી લીધો હતો. ઉપરાંત જીતેન્દ્રના પરિવારના સભ્યો કલ્યાણીને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો આ ઘટના બાદ જીતેન્દ્રના પરિવારના સભ્યો દ્વારા મોનુંને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત
આ પણ વાંચો:12 વર્ષની ઉંમરથી જ લૂંટ અને મર્ડરના કેસમાં ભાગતા ફરતા બહારવટિયા ભુપત આહીરની ધરપકડ
આ પણ વાંચો:નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ