સાબરકાંઠાના વડાલીમાં મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વડાલીમાં અસાઈ વાસણા ગામની મહિલાએ કૂવામાં કૂદીને જીવન ટુંકાવ્યું. મહિલાએ પતિ સાથે અણબનાવ થતા કૂવામાં કૂદીને આપઘાત કર્યો. અસાઈ ગામના લોકોને ઘટનાની જાણ થતા મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. પરિણીત મહિલાઓ સાસરિયાના ત્રાસથી કંટાળીને અથવા તો પતિના કોઈ સાથે અફેરને લઈને દુઃખ થતા આપઘાત કરે છે. જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ ના આવતા અથવા અન્ય કોઈની હેરાનગતિના કારણે આપઘાત કરે છે. આપઘાતના સૌથી વધુ કિસ્સામાં આર્થિક સંકડામણ તેમજ વ્યાજખોરોના ત્રાસ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી
આ પણ વાંચોઃ Cyber Fraud/MICA ના વડા શૈલેન્દ્ર રાજ મહેતા સાથે કરોડથી વધુ રકમનો સાઇબર ફ્રોડ
આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન
આ પણ વાંચોઃ Ahmedabad Incident/વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું