‘મારી માતાઓ અને બહેનો, તેઓ તમારું મંગળસૂત્ર પણ નહીં છોડે’. કોંગ્રેસના ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે તેઓ તમારા સોના વિશે શોધી કાઢશે અને પછી તેનું વિતરણ કરશે. તેઓ કોની સાથે શેર કરશે? મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. જેમને વધુ બાળકો છે તેમની વચ્ચે તમારી મિલકત વહેંચવામાં આવશે. આ ઘૂસણખોરોને વહેંચવામાં આવશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરો પાસે જવી જોઈએ?
વડાપ્રધાન મોદીએ ગયા રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક રેલીમાં મંગળસૂત્ર વિશે વાત કહી હતી. આ પછી, અલીગઢમાં અને ત્યારબાદની કેટલીક રેલીઓમાં પણ મોદીએ કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિનું ફરીથી વિતરણ કરશે. યુપીના મુખ્યમંત્રી યોગીએ પણ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસ મિલકતો જપ્ત કરીને તેનું પુન: વિતરણ કરવા માંગે છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં 9 જજોની બંધારણીય બેંચ પણ મિલકત અધિકારો સંબંધિત એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરી રહી છે.
પૈસા અને સંપત્તિના વિભાજન પર ભારતનું બંધારણ શું કહે છે?
ભારતના બંધારણમાં વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સંપત્તિનું પુન: વહેંચણી સામાન્યત: સ્પષ્ટપણે કશું કહેવાયું નથી. બંધારણની કલમ-39 (બી)માં લખ્યું છે કે સમુદાય ભૌતિક સંસાધનોના સ્વામિત્વ અને તેના પર નિયંત્રણ પર એ રીતે વિતરણ કરાયું છે જેથી સામાન્ય લોકોનું હિત જળવાય.
રાજ્ય પોતાની માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ રીત કહેવાયું ચે કે આર્થિક વ્યવસ્તાના સંચાલનમાં પૈસા અને ઉત્પાદના સાધનોમાં સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય. કલમ 31માં પહેલા તેને જોડવામાં આવી હતી. બંધારણ સભામાં અર્થશાસ્ત્રી કે ટી શાહ ઈચ્છતાં હતા કે બંધારણ ઉદ્યોગોમાં કોઈ પણ એક વ્યક્તિ કે લોકોનો એકાધિકાર સ્થાપિત થવાથી અટકાવી દેવામાં આવે.
સુપ્રિમમાં ફરીથી કેમ સંપત્તિના વિભાજનનું રટણ?
25 એપ્રિલે મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોશિયેશન અને બીજા પક્ષોના વકીલોએ કહ્યુંકે કલમ 39 બી અને કલમ 31 સી અંતર્ગત રાજ્ય ખાનગી સંપત્તિઓને જપ્ત કરી શકે છે. બેંચે વ્યક્તિગત સંપત્તિને સમાજના ભૌતિક સંસાધનોમાં સામેલ ન કરવાના વિચારથી વિપરિત અભિપ્રાય આપ્યો. કોઈ પણ પ્રોપર્ટી કોઈ વ્યક્તિ વિશેષની નથી. આ ચરમ સીમાવાદી નજરિયો છે. ભારતમાં ગાંધીવાદી સિદ્ધાંત છે. જે પ્રોપર્ટીને ટ્રસ્ટથી દૂર રાખે છે. આ પ્રોપર્ટી પર્યાવરણ માટે પણ રાખવામાં આવે છે. આ મામલા પર સુનાવણી આવવાની બાકી છે. ખાનગી સંપ્રતિઓને સામાન્ય લોકોની ભલાઈ માટે સરકાર આગ્રહ કરી શકે છે કે નહિં.
ભારતમાં 40 ટકા સંપત્તિઓ 1 ટકા અમીરો પાસે છે. ઈન્કમ એન્ડ વેલ્થ ઈનઈક્વાલિટી ઈન ઈન્ડિયા- ધ રાઈઝ ઓફ ધ બિલિયોનર રાજ નામના એક રિપોર્ટમાં દેશમાં અસમાનતા વધી રહી છે. 2014-15 થી 2022-23 વચ્ચે પૈસાના કેન્દ્રીકરણના સંદર્ભમાં અસામનતા વધુ સ્પષ્ટ થઈ છે.
ભારતમાં દુનિયામાં સૌથી વધુ અસમાન આવક ધરાવતા દેશમાંનો એક છે. આર્થિક અસમાનતાઓ વધતાં જોબની નોકરીઓ ઘટવા લાગી છે.
આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ
આ પણ વાંચો:માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો