હૃદય રોગ,દુનિયામાં મોતના મુખ્ય કારણોમાં એક છે.બ્રિટિસ હેલ્થ ફાઉંડેશનના રિપોર્ટ પ્રમાણે દર 1.5 સેકન્ડમાં એક વ્યક્તિનુ મોત થાય છે.કોરોના મહામારી પછી હાર્ટ એટેક (Heart Attack) અને એના કારણે થતા મોતના આંકડા વધી ગયા છે. 2019 માં અંદાજીત 9.8 લાખ મહિલાઓના મોત થયા હતા.
આ હૃદય રોગ થવાના કારણમાં વઘુ વિચારવામાં આવે તો આપણી જીવનશૈલી અખાદ્ય ખોરાકનુ કારણ પણ જવાબદાર છે. અને એક અભ્યાસના સંશોધન કરતાએ શોધ્યુ કે કોઇક વિટામિનના વધારાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. સંશોધન કરતાઓએ જણાવ્યુ કે નિયાસીનથી ભરપુર વિટામિન બી સિપ્લીમેન્ટનુ વધારે સેવન કરે છે તેવા લોકોને હૃદય રોગનો ખતરો વધારે હોય છે.
આમતો નિયાસિન પણ આપણા સ્વાસ્થય માટે અન્ય પોષક તત્વોની જેમ જરૂરી છે. બધા પ્રકારના વિટામિન બી પાણીમાં દ્રાવ્ય હોય છે. જેનો અર્થ છે કે શરીર એને એકત્ર નહી કરતુ પણ તમે ખોરાક થકી તમારા શરીરના બી3 ની બધી જરૂરીયાતો પુરી કરી શકો છો.
શંસોધનકરતા કહે છે કે આપણે બધાએ ડૉક્ટરની સલાહ વગર કઇ પણ પ્રકારના વિટામિન સિપ્લીમેન્ટના સેવનથી બચવુ જોઇએ.અને ખોરાકના માધ્યમથી આસાનીથી વિટામિન-બી3 પ્રાપ્ત કરી શકયે છે. શરીર સ્વસ્થ રહે અને સારી રીતે કામ કરતુ રહે તો એના માટે જરૂરી છે કે બધા વિટામિન્સનો સંતુલિત માત્રામાં જ સેવન કરવુ જોઈએ.
આ પણ વાંચો:રમઝાનની શરૂઆત અને હોળીના તહેવાર દરમિયાન કોલેસ્ટ્રોલને કેવી રીતે કાબૂમાં રાખશો
આ પણ વાંચો:ભારતમાં 46% પરિણીત પુરૂષો એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવે છે, મહિલાઓની સંખ્યા છે…
આ પણ વાંચો:આંખોથી જોડાયેલી સમસ્યાઓના લક્ષણને ઓળખો અને નેણને તંદુરસ્ત રાખો
આ પણ વાંચો:સ્વાસ્થ્ય આરોગ્ય પ્રદ રાખવા દૂધનું સેવન કેટલું જરૂરી? ગાય, ભેંસ કે બકરી, કોનું દૂધ વધુ શ્રેષ્ઠ ?