ધોરાજી,
આજના આ આધુનિક યુગમાં છાસવારે લોકોની બેદરકારીના કારણે મહામુલી માનવ જીંદગી ખતરામા પડી જાય છે. ધોરાજી ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ઓજત ઈન્ટરનેશનલ સ્કૂલ બસે છકડો રીક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો.
આ અકસ્માતમા રીક્ષામા બેસેલા 3 મુશાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક ઇજાગ્રસ્તની હાલત વધુ લથડતા જુનાગઢ રીફર કરવામાં આવ્યો હતો. આ બનાવથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓનુ માનવુ છે કે આડેધડ ચાલતી સ્કુલ બસોને કારણે તેના બાળકોને પણ અકસ્માતનુ ભોગ બનવુ પડી શકે છે. સ્કુલ બસના ચાલકોએ બસ શાંતિથી ચલાવવી જોઇએ.