ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, (CM Bhupendrapatel) રાજ્ય કેબિનેટના મંત્રીઓ, વિધાનસભાના સ્પીકર અને મુખ્ય દંડક સહિત અન્ય લોકોએ શનિવારે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી. સીએમે જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ એ ગુજરાતી સમુદાય માટે ખાસ કરીને ગૌરવપૂર્ણ પ્રસંગ છે કારણ કે તેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સીએમએ જણાવ્યું હતું કે મંદિરની મુલાકાત તેમના માટે ભાવનાત્મક ક્ષણ હતી.
‘અમૃત કાલ’ દરમિયાન રામ મંદિરના (Rammandir) પ્રાણ પ્રતિષ્ઠાને ભારતીયો માટે ઉત્સવ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીની દ્રઢતા અને પ્રતિબદ્ધતાએ મંદિરનું ઉદઘાટન સુનિશ્ચિત કર્યું. ગુજરાતના યાત્રાળુઓ માટે મુસાફરીની સરળતા માટે, રાજ્ય સરકારે ગુજરાત યાત્રી ભવન બનાવવા માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 10 કરોડ ફાળવ્યા છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગુજરાત યાત્રી ભવન કુલ રૂ. 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તેમણે યાત્રી ભવન માટે જમીન આપવા અને પવિત્ર શહેરની મુલાકાતે આવતા તીર્થયાત્રીઓ માટેની વ્યવસ્થા કરવા બદલ યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો.
ગુજરાતમાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે. આ સિવાય સરકારે ત્યાં સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ કરી છે. આ પ્રકારની ટ્રેન દેેશના બીજા રાજ્યોમાંથી પણ શરૂ કરવામાં આવી છે. અયોધ્યામાં રામલલાના દર્શન કરવા રોજના લગભગ એક લાખ લોકો આવે છે. આના પગલે અયોધ્યા એક આધ્યાત્મિક ધામ બની ગયું છે. શ્રીરામની ઐતિહાસિક વિરાસતનો વારસો બની ગયું છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ