ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરદાર પટેલની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ માટે ગુજરાતની જીવાદોરી મા નર્મદાના સાનિધ્યથી વિશેષ કોઇ સ્થળ ન હોઇ શકે તે ન્યાયે સરદાર સરોવરની સામેની સાધુ બેટની વિશાળ જગ્યા પસંદ કરવામાં આવી.
તા.31 ઓક્ટોબર-2014ને સરદાર પટેલ જન્મજયંતીનો દિવસ. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યુ.
આનંદીબહેન પટેલે તા.27 ઓક્ટોબર-2014ના રોજ સ્ટેચ્યુના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવાનો વર્ક ઓર્ડર એલ એન્ડ ટી કંપનીને આપ્યો અને શરૂ થઇ યુદ્ધના ધોરણે સ્ટેચ્યુના નિર્માણની કામગીરી.
સાથેસાથે માર્ચ-2016માં બ્રીજના નિર્માણનું કામ પુર જોશમાં આગળ વધ્યું.
આ સ્મારકના નિર્માણનું કામ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું કાર્ય પીઠિકાના નિર્માણનું છે. આ પીઠિકા સાથે મૂળ સ્ટેચ્યુના પાયાનું બાંધકામ સપ્ટેમ્બર-2017માં પૂર જોશમાં શરૂ થયું.
પીઠિકાની કામગીરીનો મોટોભાગ જૂન-2018માં પૂર્ણ થયો અને મહત્વનું એવું સ્મારકનું કામ આગળ વધ્યું.
વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સીધી દેખરેખ હેઠળ ઓગસ્ટ-2018માં અડધા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઇ.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જરૂર પડ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની કામગીરીની સમીક્ષા પણ કરી.
આખરે ઓકટોબર-2018 સુધીમાં સ્ટેચ્યુ લગભગ તૈયાર થઇ ગયું.
હવે જ્યારે 31મી ઓકટોબર-2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે.