કોંગ્રેસી નેતા હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી મામલે હાઈકોર્ટમાં હાર્દિકના વકીલે કહ્યું કે અત્યારે અમને ખોટી રીતે હેરાન પરેશાન કરાઈ રહ્યાં છે. આ અગાઉ અનેક મોકા હતાં છતાં હાર્દિકની ધરપકડ થઈ નહીં. હાઈકોર્ટે આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ ગુજરાતની વિવિધ કોર્ટ દ્વારા હાર્દિકણે વિવિધ જેલમાં ફેરવવામાં આવ્યો હતો. પહેલા વિર્મ્ગાંથી ધરપકડ બાદ વારાફરતી માણસા પોલીસ અને સિદ્ધપુર પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અગોતરા જામીન અરજી કરી હતી.
અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના જામીન ફગાવ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલે હાઈકોર્ટનું શરણ લીધું હતું. હાર્દિકના વકીલની દલીલો બાદ હાઈકોર્ટે આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. ત્યારબાદ રાજ્ય સરકારે હાર્દિક મામલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. હવે હાર્દિકની અગોતરા જામીન અરજી પર 12 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન