રાજ્ય પોલીસ તંત્રમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જિલ્લા તથા કોઇપણ શહેરોમાં પીઆઇ કે પીએસઆઇની આતંરિક બદલી જો કરવી હશે તો રાજ્ય પોલીસ વડાની કચેરીને પૂરતા પૂરાવા મોકલવાના રહેશે. આ નિર્ણયને પગલે પોલીસબેડમાં રાજ્ય પોલીસ વડાની કચેરીનો વધુ એક હસ્તક્ષેપ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આમ હવે કોઇપણ પીઆઇ તે પીએસઆઇ જો કામ ન કરતો હોય કે ઉપરી અધિકારીને ગાંઠતો ન હોય તો તેની બદલી કરવા માટે જિલ્લા પોલીસ તંત્રએ ડીજીની મંજૂરી લેવી પડશે. જોકે આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં થયેલી પીટિશનના ચુકાદામાં આદેશ અપાયો હતો કે જિલ્લા પોલીસ તંત્રની ફેરબદલીની સત્તા પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડને આપવામાં આવી છે અને તેની ભલામણના આધારે જ કાર્યવાહી હાથ ધરવાની હોય છે.
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.