સંબધોમાં પ્રારંભિક સમયગાળામાં, કપલ્સ વચ્ચે બધું બરાબર હોય છે. તેઓ એકબીજા સાથે લાંબો સમય વિતાવતા પણ જોવા મળે છે. તેમને જોઈને કોઈ અનુમાન નથી કરી શકતું કે ભવિષ્યમાં તેમના સંબંધોમાં ખટાશ આવશે. જોકે, કેટલીકવાર ગેરસમજને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે. જો કપલ્સ તેમની વચ્ચેની આ ગેરસમજણો યોગ્ય સમય પર દુર ન કરે તો સંબંધ તૂટવા સુંધી પહોંચી જાય છે. કોઈ સંબંધ ક્યારેય અચાનક અંત થતો નથી. તેના લક્ષણો પહેલાથી જ દેખાવા લાગે છે. તમે પણ આ લક્ષણોને ધ્યાનમાં લઈને તમારા સંબંધોને સરળતાથી બચાવી શકો છો.
તમારા જીવનસાથીને જગ્યા આપો
જો તમે ઈચ્છો છો કે તમારો સંબંધ વધુ સારી રીતે આગળ વધે તો તમારા પાર્ટનરની જગ્યામાં બિલકુલ દખલ ન કરો. જો તમે તમારા પાર્ટનર પ્રત્યે વધુ કાળજી રાખતા હોવ અને તેને દરેક બાબતમાં રોકવાનું શરૂ કરી દીધું હોય તો સમજી લો કે આ તમારા સંબંધ માટે જોખમના સંકેતો છે. આ આદતને સમયસર સુધારીને તમે તમારા સંબંધોને બચાવી શકો છો.
તમારા જીવનસાથીના સંજોગોને સમજો
જો તમે તમારા પાર્ટનરના પરિસ્થિતી સમજવામાં અસમર્થ છો, તો તે તમારા સંબંધ માટે સંકેતો છે. આદર્શ પાર્ટનર તે છે જે તેના પાર્ટનરના વિચારોનું રિસ્પેક્ટ કરે છે. જો તમે આવું નથી કરતા તો તમારી આદતને બદલો નહીંતર તમારા સંબંધો બ્રેકઅપ તરફ આગળ વધી શકે છે.
મિસ કોમ્યુનિકેશન સંબંધો માટે ખરાબ છે
જો તમારા પાર્ટનરની સાથે તમારી વાતચીત બરાબર નથી તો તમારા સંબંધોમાં ગેરસમજ અને ભાવનાત્મક અંતર આવી શકે છે. તમારા પાર્ટનરની સાથે સતત વાતચીત કરતા રહો. તેમજ તેને સીધા અને સ્પષ્ટ રીતે વાત કહો. જો તમે તમારા પાર્ટનરને તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં શરમાતા હોવ તો તે તમારા સંબંધ માટે સારું નથી.
સ્વાર્થી બનવું એ સંબંધમાં સૌથી ખરાબ બાબત છે.
કોઈપણ સંબંધ માટે સૌથી ખરાબ આદત સ્વાર્થી હોવું છે. જો તમે તમારા પાર્ટનર અને તેના લક્ષ્યોને મહત્વ આપવાને બદલે તમારી પોતાની પસંદગીઓને વધુ મહત્વ આપો છો, તો તે તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે છે. હકિકતમાં તમે અપેક્ષા રાખો છો કે તમારો પાર્ટનર તમને સૌથી વધુ મહત્વ આપે, પરંતુ જવાબમાં તમે એવું નથી કરતા, જેના કારણે તમારા સંબંધોમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
ઈર્ષ્યાના કારણે તમારો સંબંધ પણ તૂટી શકે છે
સંબંધમાં ઈર્ષ્યા સંબંધ તૂટવાનું પણ મુખ્ય કારણ હોય છે. જો તમે તમારા પાર્ટનરની સિદ્ધિઓ વિશે સાંભળીને અસ્વસ્થતા અનુભવો છો અને ચિંતિત થાવ છો, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારો સંબંધ મુશ્કેલીમાં છે.
આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર
આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત
આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર