અમદાવાદઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આ સાથે જ ચૂંટણીના જંગમાં કોણ કેટલા મેદાનમાં છે તે સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા ચાલી હતી. તેના પછી 20મી એપ્રિલે ચકાસણીનો દિવસ હતો.
રાજ્યમાં કુલ 47 ઉમેદવારોએ 63 ઉમેદવારીફોર્મ ભર્યા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેમાથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા. પશ્ચિમ બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા હતા.
સુરત બેઠક પર હજી પણ હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી આજે કુલ આઠમાંથી છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે. તેના લીધે સુરત બેઠક બિનહરીફ બને તેવી સંભાવના છે. ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાનારી છે.
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી