કોલકાતાઃ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CAA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે.
ટીએમસીનો ઢંઢેરો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ દેશની જનતાને 10 વચનો આપ્યા છે. અમારું વલણ એ છે કે બંગાળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં, NRC અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને પણ લાગૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તૃણમૂલ ભારત બ્લોકના ભાગરૂપે કેન્દ્રમાં સરકાર બનાવે તો આ વચનો પૂરા થશે. ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે જો મમતા દીદીના સમર્થનથી કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોકની સરકાર બનશે તો મનરેગા હેઠળ માનદ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. દરેક માટે કાયમી મકાનો બનાવવામાં આવશે.
આ પણ વાંચો: જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ
આ પણ વાંચો: પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ