ટીવીની દુનિયાથી બોલીવુડ સુધી પોતાની ખ્યાતિ ફેલાવનાર અભિનેત્રી મૃણાલ ઠાકુર લોકોના દિલમાં રાજ કરે છે. લોકો તેની એક્ટિંગની સાથે તેની સુંદરતાને પણ પસંદ કરે છે. મૃણાલ ઠાકુરના સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ ફોલોઅર્સ છે. મૃણાલ તેના ચહેરાની સંભાળ રાખવા માટે કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે.
મૃણાલ ઠાકુરનું માનવું છે કે, કેમિકલ ઉત્પાદનોના વધુ પડતા ઉપયોગથી ત્વચાને નુકસાન થાય છે. ત્વચા પર ખીલની સમસ્યા પણ થઈ શકે છે.જો તમે પણ મૃણાલ ઠાકુરની જેમ સુંદર દેખાવા માંગો છો, તો અહીં તમે તેના સૌંદર્યના રહસ્યો જાણીને સરળતાથી અનુસરી શકો છો.
એલોવેરાનું સ્ક્રબ
ત્વચા માટે મૃણાલ ઠાકુર એલોવેરાનો સ્ક્રબ તરીકે ઉપયોગ છે. એલોવેરામાં ખાંડ કે કોફી નાંખીને તેને ચહેરા પર લગાવે છે. મૃણાલ તડકામાં જતા પહેલા પાણી લગાવીને એલોવેરાનો સનસ્ક્રીન તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે સૂર્યની તેજ કિરણોથી ત્વચાને બચાવી શકાય.
એલોવેરા અને નારિયેલ તેલ
મૃણાલ ઠાકુર પોતાના વાળને સુંદર બનાવવા માટે એલોવેરા જેલમાં મધ અને નારિયેલની તેલ નાખીને લગાવે છે. મધ કંડીશનર જેવું કામ કરે છે
પપૈયાનું ફેસ માસ્ક
મૃણાલ ઠાકુર પોતાના ચહેરાની ખુબસુરતી જાળવી રાખવામાં માટે પપૈયાનું ફેસ માસ્ક લગાવે છે. પપૈયામાં વિટામિન સી વિપુલ માત્રા રહેલું હોય છે. જે ત્વચા માટે ખુબ લાભદાયી છે.
હાઇડ્રેટેડ રહો અને સ્વસ્થ ખોરાક લો
મૃણાલ ઠાકુર પોતાને ફિટ રાખવા માટે આખો દિવસ પાણી પીતી રહે છે. તેના ભોજનમાં તે હેલ્ધી , જેમ કે ફળો, લીલા શાકભાજી અથવા જ્યુસ લે છે.