ન્યુયોર્ક,
અમેરિકાના ન્યુયોર્કમાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના ૭૩માં સંસ્કરણમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં કટ્ટર દુશ્મન દેશ પાકિસ્તાન પર આરોપોનો મારો ચલાવ્યો હતો.
પાકિસ્તાનને આડે હાથ લેતા તેઓએ જણાવ્યું,
૯/૧૧ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ લાદેન તો માર્યો ગયો, પરંતુ ૨૬/૧૧નો માસ્ટર માઈન્ડ હાફિજ સઈદ આજે પણ ખુલ્લે આમ ફરી રહ્યો છે.
આજે આતંકવાદનો રાક્ષસ કોઈક જગ્યાએ ધીમી ગતિએ તો બીજી જગ્યાએ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તે દરેક દેશ સુધી પહોચ્યો છે.
હવે સમય આવી ગયો છે કે, દુનિયાએ જાગવું જોઈએ. નહિ તો એ દિવસ દૂર નથી જયારે આતંકવાદનો દાનવ પૂરી દુનિયાને ભરખી જશે.