ડાકોર.
27, જુલાઈ 2018.
આજ રોજ ગુરૂ પૂર્ણિમાને લઈને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર સર્જાયુ હતું.
ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવથી ડાકોર મંદિરમાં ઉજવણી કરી રહ્યાં છે.
મંદિરમાં ગુરૂપૂજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે.
ગુરૂના ચરણ સ્પર્શ કરીને મેળવ્યા આશીર્વાદ મેળવવા ભારે ભીડ જામી છે. સવારે ભગવાન રાજા રણછોડનું આમળા,અરીઠા અને અને બીજા પાંચ તત્વો ઉમેરી સ્નાન કરવામાં આવશે.
પરંતુ ચંદ્ગગ્રહણને લઈને બપોરે 2.30 કલાક સુધી જ મંદિરના દર્શન કરી શકાયા. ગ્રહણ રાત્રે 11.54 કલાકે ચાલુ થઈ વહેલી સવારે 3.49 સમાપ્ત થશે.
અઢી વાગ્યા બાદ ઠાકોરજીના દર્શન બંધ કરી દેવાયા હતા અને શનિવાર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.વહેલી સબરે 4 વાગ્યાથી 6 વાગ્યાના અરસામાં મંદિર નું શુદ્ધિકરણ(પાણી ધોવામાં) કરવામાં આવશે.