હાથરસ લોકસભા સીટના બીજેપી સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જ્યારે સાંસદ રાજવીરને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે તેમને તાત્કાલિક અલીગઢની વરુણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના અવસાનના સમાચાર મળતા જ જિલ્લામાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રાજવીર સિંહ દિલેર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી. સાંસદ રાજવીર દિલેરનું આકસ્મિક નિધન ભાજપ માટે મોટી ખોટ છે. રાજવીર દિલેર ભાજપની ટિકિટ પર 2019માં હાથરસ લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.
ટિકિટ કપાઈ જવાથી દિલેર ચિંતિત હતા…
આપને જણાવી દઈએ કે સાંસદ બનતા પહેલા રાજવીર દિલેર વર્ષ 2017માં અલીગઢની ઈગલાસ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. પાર્ટીએ હાથરસ બેઠક પરથી અનૂપ વાલ્મિકીને ટિકિટ આપી છે. સિટિંગ સાંસદ રાજવીર દિલેર ટિકિટ ન મળવાથી ચિંતિત જણાતા હતા. જો કે, ટિકિટ નકાર્યા બાદ પણ રાજવીર દિલેર પાર્ટી માટે કામ કરી રહ્યા હતા. તેઓ બે દિવસ પહેલા અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા. આ સિવાય તેઓ હાથરસ અને અલીગઢમાં ચાલી રહેલા પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ઉલ્લેખનીય છે કે આ સીટ પર 7 મેના રોજ મતદાન થવાનું છે.
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને રાજવીર સિંહ દિલેરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હાથરસ લોકસભા મતવિસ્તારના સાંસદ રાજવીર સિંહ દિલેરનું અકાળે અવસાન અત્યંત દુ:ખદ છે અને ભાજપ પરિવાર માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના સમર્થકોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ