- અમદાવાદ: સાબરમતી નદીમાંથી મળ્યા 4 મૃતદેહ
- સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં મળ્યા 4 મૃતદેહ
- 3 કલાકમાં નદીમાંથી મળી આવ્યા 4 મૃતદેહ
- ત્રણ પુરુષ અને એક મહિલાના મૃતદેહને બહાર કઢાયા
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોના ઘરે ખુશીઓ માતમમાં ફેરવાઈ છે. શહેરની સાબરમતી નદીમાંથી ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો આ તમામના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
જણાવીએ કે, આ ચાર મૃતદેહ સાબરમતી નદીના અલગ-અલગ બ્રિજ નજીકથી મળી આવ્યા છે. આંબેડકર બ્રિજ નજીકથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સરદાર બ્રિજ નજીકથી મળી આવ્યો યુવકનો મૃતદેહ મળ્યો છે. એલિસબ્રિજ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે.
આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા
આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો
આ પણ વાંચો:બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો
આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી