જૂનાગઢઃ જૂનાગઢમાં પરીણિત યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. પરીણિત યુવકે પ્રેમસંબંધમાં આપઘાત કર્યો છે. આમ લગ્નબાહ્ય સંબંધોએ વધુ એક જીવનનો ભોગ લીધો છે. યુવાન લગ્ન બહારનો અફેર કરવો ભારે પડી ગયો છે. આમ મજા માણવા જતાં યુવાન છેવટે પોતે જ પોતાને સજા સહન કરવાનો વારો આવ્યો છે. લગ્નબાહ્ય સંબંધની મજા બરોબરની નીકળી ગઈ છે.
રોહિત સોલંકી નામના યુવાનના લગ્ન થયેલા છે અને તેને બીજી કોઈ યુવતી સાથે આડાસંબંધો પણ હતા. જૂનાગઢના સંજયનગર વિસ્તારની બનેલી ઘટનામાં યુવાને તેના આડાસંબંધોની જાણ કુટુંબને થતાં આત્મહત્યા કરી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. તાજેતરમાં જ આત્મહત્યા પરનો રાષ્ટ્રીય અહેવાલ પ્રકાશિત થયો તેમા આત્મહત્યાના મહત્વના કારણોમાં લગ્નબાહ્ય સંબંધો ત્રીજા નંબરના સૌથી મહત્વના કારણ તરીકે ઉભરી આવ્યા છે.
આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું
આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું
આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…