- સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રેમી પંખીડાનો આપઘાત
- જરિયા મહાદેવ વીડમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
- પ્રેમીપંખીડાએ ઝાડ સાથે લટકી જઇ કરી આત્મહત્યા
- પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગઇ
સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો આસપાસના ગામોમાં વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં બનાવ સ્થળે ધસી આવ્યા હતા.પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામું કરી ઓળખ વિધિ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે બન્ને મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત