Air India news/ તાતાના મહારાજા : આખરે 68 વર્ષ બાદ એરઇન્ડિયાની કમાન હવે તાતા પાસે

એર ઇન્ડિયાને વેચવાની સરકાર સતત કોશિશ કરતુ હતું અને હવે તેમાં સફળ નિવડ્યું છે. સરકાર દ્વારા તાતાને એરલાઈન્સનું ફરીથી સુકાન આપવામાં આવ્યું છે. 

Top Stories India
Tata Sons wins the bid for acquiring national carrier Air India

એર ઇન્ડિયાના ખાનગીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેવાળામાં પહોચી ગયેલી ઇન્ડિયન એરલાઈન્સ એટલે કે એર ઇન્ડિયાને હવે તેના નવા સુકાની મળી ગયા છે. સરકાર સતત એર ઇન્ડિયાને વેચવાની કોશિશ કરતુ હતું અને હવે તેમાં સફળ નિવડ્યું છે. 68 વર્ષ બાદ સરકાર દ્વારા તાતાને એરલાઈન્સનું ફરીથી સુકાન આપવામાં આવ્યું છે.  સરકાર દ્વારા એર ઇન્ડિયાની બોલી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને વિજેતાની જાહેરાત કરી દીધી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.

એર ઇન્ડિયા સ્પેસિફેક અલ્ટરનેટિવ મિકેનિઝમ પેનલે એર ઇન્ડિયાની નાણાંકીય બોલી પર નિર્ણય લીધો હતો. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓ સામેલ છે. દીપમના સચિવે તુહીન કાન્તેય પાંડેએ કહ્યું છે કે, ઘણીવાર બોલી માટે અરજી મંગાવવામાં આવી હતી પરંતુ ફાઈનલી સપ્ટેમ્બરમાં બે બીડરના નામ ફાઈનલ થયા હતા. એર ઇન્ડીયાના દરેક કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમને આ અંગેની કોઈ જ અસર નહિ

એર ઇન્ડિયા માટે તાતા ગ્રુપ અને સ્પાઈસજેટના અજય સિંહ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, એર ઇન્ડિયા માટે પેનલે તાતા ગ્રુપની પસંદગી કરવામાં આવી છે. ડિસેમ્બર સુધી તાતાને તેનો માલિકી હક બની શકે છે. વર્ષ 1932માં તાતા એરલાઈન્સની સ્થાપના કરવામાં આવી હતી. હવે 68 વર્ષ બાદ તાતાએ ફરીથી ઉંચી બોલી લગાવી ખરીદી લીધું છે.

એર ઇન્ડિયા 68 વર્ષ પછી તાતા ગ્રુપ પાસે પરત આવતા રતન તાતા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેમણે લખ્યું હતું ” વેલકમબેક એર ઇન્ડિયા’

 

એર ઇન્ડિયાને વર્ષ 1932માં તાતા ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી હતી ત્યારે તેનું નામ તાતા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, તાતા ગ્રુપના ફાઉન્ડર જે.આર.ડી. તાતા પોતે એક પાયલટ હતા. 1938 સુધી કંપનીએ ડોમેસ્ટિક ઉડાનો ભરવાનું શરુ કરી દીધું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ સરકારી કંપનીમાં તબદીલ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ સરકારે એર ઇન્ડીયામાં 49 ટકા શેરની ખરીદી કરી હતી.