Not Set/ વારાણસીમાં વિસ્ફોટના લીધે મકાન ધરાશયી, એક વ્યક્તિનું મોત

વારાણસીમાં એક મકાનમાં વિસ્ફોટ થવાને લીધે ધરાશયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. હજુ પણ બીજા લોકો દબાયા હોવાની આશંકા છે. બુધવારે સવારે વારાણસીમાં લહરતારા વિસ્તારમાં આવેલ એક મકાનમાં મોટો ધમાકો થયો હતો. આ ધમાકો એટલો તીવ્ર હતો કે જેના લીધે આખું ઘર ધરાશાયી થઇ ગયું હતું. ઘટનાની જાણ […]

India Trending
p049ksp4 વારાણસીમાં વિસ્ફોટના લીધે મકાન ધરાશયી, એક વ્યક્તિનું મોત

વારાણસીમાં એક મકાનમાં વિસ્ફોટ થવાને લીધે ધરાશયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. હજુ પણ બીજા લોકો દબાયા હોવાની આશંકા છે.

બુધવારે સવારે વારાણસીમાં લહરતારા વિસ્તારમાં આવેલ એક મકાનમાં મોટો ધમાકો થયો હતો. આ ધમાકો એટલો તીવ્ર હતો કે જેના લીધે આખું ઘર ધરાશાયી થઇ ગયું હતું.

ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે એનસીઆરએફની ટીમે ત્રણ જનાને ઘરમાંથી નીકળ્યા હતા. આ ત્રણ જણા ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ બીજા દબાયેલા લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહી છે.