આરોગ્ય નિષ્ણાતોના મતે પ્રોટીનયુક્ત આહાર, કોરોના સંક્રમિત દર્દીઓની પુન: રીકવરીમાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કોવિડ -19 ચેપ, શરીરના પેશીઓને નુકસાન અને સ્નાયુઓની નબળાઇ લાવે છે. જે નબળાઇ દૂર કરવા માટે પ્રોટીન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસ ચેપ દરેક વ્યક્તિના શરીર પર અલગ રીતે અસર કરી રહ્યો છે. હળવા લક્ષણો વાળા દર્દીઓમાં પણ, કોઈ પણ પ્રકારની ગૂંચવણ વિના સરળતાથી રીકવરી આવી રહી છે. તો પછી કોઈ અતિ ભારે કોરોના લક્ષણો સામેં લડી રહ્યું છે. આવી સ્થિતિમાં, પોષક તત્વોથી ભરપૂર તંદુરસ્ત અને સંતુલિત આહાર દર્દીને કોરોના વાયરસના ચેપથી ઝડપથી સાજા થવા માટે મદદ કરી શકે છે.
શાકાહારી લોકો આ વસ્તુઓ સાથે પ્રોટીનની ઉણપને પૂર્ણ કરે છે
કોરોના ચેપને કારણે, દર્દીઓમાં પોષક તત્વોની ઉણપ, વજનમાં ઘટાડો, થાક, ચક્કર અને ખૂબ નબળાઇની સમસ્યા છે. આ કિસ્સામાં, આરોગ્ય નિષ્ણાતો માને છે કે પ્રોટીનયુક્ત આહાર શરીરના ક્ષતિગ્રસ્ત પેશીઓને મટાડવા અને સ્નાયુઓની નબળાઇ દૂર કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. ઘણા લોકો માને છે કે ઇંડા, ચિકન, મટન અને સીફૂડમાં જ ફક્ત પ્રોટીન હોય છે. આવી પરિસ્થિતિમાં શાકાહારી લોકોએ શું કરવું જોઈએ? અમે પ્રોટીનના તે સ્રોત વિશે વાત કરી રહ્યા છીએ જે શાકાહારી લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે.
1. ચિયા બીજ– ચિયાના બીજમાં પ્રોટિનની સાથે ફાયબર પણ હોય છે. 30 ગ્રામ ચિયાના બીજમાં લગભગ 47 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, કેલ્શિયમ, ઓમેગા -3 ફેટી એસિડ્સ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેથી ચોક્કસપણે તમારા નાસ્તામાં ચિયા બીજ શામેલ કરો.
2. પનીર- પનીરના 100 ગ્રામમાં લગભગ 23 ગ્રામ પ્રોટીન હોય છે. ખાસ કરીને જો તમે ઘરે દૂધ ફાડીને પનીર બનાવો છો, તો તે તમારા માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત બની શકે છે, કારણ કે તેમાં કોઈ રાસાયણિક અથવા પ્રિઝર્વેટિવ્સ નહીં હોય. તેથી કોરોનાથી રીકવરી દરમિયાન પનીર ખાઈ શકાય છે.