ગુજરાતમાં એક પછી એક સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર લખતર હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આજે (રવિવાર) વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, આગામી 24 કલાકમાં કોલ્ડ વેવની આગાહી
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે અથડાઈ છે. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો :હાઉદ્દીન કોલેજની હોસ્ટેલ જર્જરિત, બે વર્ષથી લાગ્યા છે તાળા
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો નિરૂત્સાહ
આ પણ વાંચો :રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો